દિયોદર ના દેલવાડા ગામે બનાસડેરીના મંત્રી દ્વારા પ્રાથમિક શાળામાં વૃક્ષા રોપણ કરાયું

દિયોદર,

વૃક્ષ વાવો વૃક્ષ નું જતન કરવાના ભાગરૂપે દિયોદર તાલુકામાં ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે દિયોદર ના દેલવાડા ગામ ના બનાસ દૂધ ડેરી ના મંત્રી સુરેશભાઈ રઘુભાઈ જોશી દ્વારા દેલવાડા પ્રાથમિક શાળા ખાતે ઠેરઠેર વૃક્ષો રોપાયા હતા તેમજ બાબુ ભાઇ આચાર્ય, રોહિત ભાઇ શિક્ષક, બળદેવ ભાઇ અને ગામ ના આગેવાનો ની હાજરીમાં આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ વૃક્ષો વાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ બાબતે સુરેશભાઈ રઘુભાઈ જોશી જણાવ્યું કે આપણે આપણા ગામ ને હરીયાળુ બનાવાનુ છે જેમાં વૃક્ષો વાવવા જરૂરી છે અને વૃક્ષોનું વાવેતર કરશો તો આ વિસ્તારમાં સારો વરસાદ થાય તેવું જણાવી કાર્યક્રમને બિરદાવ્યો હતો.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment